કેટરર્સમાં કામ કરતા માણસો વચ્ચે ઝઘડો થયા બાદ યુવક ઉપર લોખડના પાઈપથી હુમલો

જૂનાગઢના રામનિવાસ પાણી પુરવઠા ઓફિસ સામે મારામારીની ઘટનામાં ત્રણ સામે ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢના રામનિવાસ પાણી પુરવઠા ઓફિસ સામે કેટરર્સમાં કામ કરતા માણસો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ યુવકને માર મારી લોખડના પાઈપથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહેશભાઈ નાગજીભાઈ પારધી (ઉ.વ.૩૦ રહે. આંબેડકરનગર શેરી નં. ૩ પંકજભાઈ ની ચકી પાસે જુનાગઢ) એ આરોપીઓ અશ્વિનભાઈ
તથા બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી તેની સાથેના મહિલા રેણુકાબેન સાથે ગત તા.૯ના રોજ રામનિવાસ પાણી પુરવઠા ઓફિસ સામે જુનાગઢ ખાતે રોડ ઉપર ઝઘડો કરતા હોય અને આ રેણુકાબેન કેટરર્સમાં કામ કરતા હોય તે કેટરર્સ વાળા આરોપી અશ્વિનભાઈ તથા તેની સાથેના અજાણ્યા માણસોએ ફરિયાદીને ઝઘડો નહીં કરવાનું કહી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી તથા માથામાં લોખંડનો પાઈપ મારી ઇજા કરી હતી.