માણાવદરના કોઠારીયા ગામે પતિએ પત્નીને માર માર્યો

પરિણીતાએ પતિ ઉપરાંત તેના સાસુ સામે પણ મદદગારીની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : માણાવદરના કોઠારીયા ગામે ઘરકંકાસમાં પતિએ પત્નીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પરિણીતાએ પતિ ઉપરાંત તેના સાસુ સામે પણ મદદગારીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માણાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જાનકીબેન નિલેષભાઇ ખટારીયા (ઉ.વ.૧૮ વર્ષ ૧૦ માસ રહે. માણેકવાડા તા. કેશોદ જી.જુનાગઢ હાલ વંથલી બ્રાહમણ વાડો, રામદેવપીરની જગ્યા, શંકરના મંદીર પાસે) એ આરોપી પતિ નિલેષભાઇ મેણંદભાઇ ખટારીયા (રહે. માણેકવાડા તા. કેશોદ જી.જુનાગઢ), સાસુ જોસનાબેન મેણંદભાઇ ખટારીયા (રહે. માણેકવાડા તા. કેશોદ જી.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા આરોપી પતિ અગાઉ કોઠારીયા ગામે તેના મકાને આટો મારવા આવેલ ત્યારે આરોપી પતિને સાસુએ ફોન કરી માણેકવાડા ગામે પોતાના ઘરે આવતુ રહેવાનુ કહેતા ફરીયાદીએ આરોપી પતિને રોકાવાનુ કહેતા જે બાબતે ફરીયાદી તથા આરોપી પતિ વચ્ચે ઝગડો થતા ઉશ્કેરાયેલા પતિએ ફરીયાદીને શરીરે આડેધડ ઢીકાપાટુનો મુંઢ માર મારી તેમજ ગળાના ભાગે વિચકા ભરી ઇજાઓ કરી અગાઉ આરોપી સાસુના કહેવાથી આરોપી પતિએ ફરીયાદીને માણેકવાડા મુકામે છ સાત વખત શરીરે મુંઢ માર મારી આરોપીઓએ ફરીયાદીને શારીરીક દુખ ત્રાસ આપ્યો હતો.