સરકાર કેશે તો ચૂંટણી લડી નાંખશું ! ઇન્દ્રભારતી બાપુનો વિડીયો વાયરલ

કાવ્યમય શૈલીમાં ચૂંટણી લડવા તૈયારી દર્શાવી

જૂનાગઢ : સંત, શુરાની ભૂમિ જૂનાગઢ રૂદ્રેશ્વરજાગીર આશ્રમના ઇન્દ્રભારતીબાપુએ ચૂંટણી લડવા તૈયારી દર્શાવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થયો છે.

વિધાનસભા ચૂંટણી નજીક જ છે ત્યારે જૂનાગઢ રૂદ્રેશ્વરજાગીર આશ્રમના મહંત ઇન્દ્રભારતીબાપુનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે જેમાં તેઓ સ્પષ્ટ કહે છે કે સરકાર કહેશે તો તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે.

વધુમાં તેઓ કહે છે કે દડી પડી મેદાનમે સબ ખેલન કો આઈ, નહિ કિસી કે બાપ કી જીતે સો લે જાયાએ ઉક્તિ મુજબ તેઓ કોઈ પણ ચૂંટણી લડવા તૈયાર હોવાનો તેમને સાફ સાફ સંકેત આપ્યો હતો.