જૂનાગઢના સુખનાથ ચોક પાસે સફાઈ કામ મામલે યુવકને માર માર્યો

યુવકને માર મારનાર બે શખ્સો સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના સુખનાથ ચોક પાસે સફાઈ કામ મામલે યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે યુવકને માર મારનાર બે શખ્સો સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ.મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જસ્મીનભાઈ સિદાભાઈ સોંલકી (ઉ.વ.૪૨, રહે.આઈ.ટી.ઓ. રોડ, વાલિયા સોરઠ જમાલવાળીની અંદર જૂનાગઢ)એ આરોપીઓ નરસિંહ પરમાર, હિતેશ પરમાર (રહે.બંન્ને જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સુખનાથ ચોક સાવજવાળા ડેલા પાસે,તાર બંગલા પાસે જુનાગઢ ખાતે ફરીયાદીને આરોપીઓએ સફાઈ કામ કરવાના બાબતે ફરીને ગાળો બોલી અને આરોપીઓએ ફરીયાદકને લાકડી વડે ફરીના ડાબા હાથની કોણી ના ભાગે મારી તથા ઢીકાપાટુનો માર મારી ઇજાઓ કરી હતી.