કેન્દ્રીય મહિલા કર્મચારીને લફરાબાજ આશિકના ત્રાસમાંથી મુક્ત કરાવતી જૂનાગઢ પોલીસ

પોલીસે યુવતીનું લિવ ઇન કેન્સલ કરાવીને લફરબાજને તેની જ ભાષામાં કાયદાનું ભાન કરાવ્યું

જૂનાગઢ : જૂનાગઢમાં એક કેન્દ્ર સરકારમાં નોકરી કરતી યુવતી લફરબાજ આંશિકની પ્રેમજાળમાં ફસાતા તેનું જીવન બરબાદ થવાની અણી પર પહોંચી ગયું હતું. આ બાબત ધ્યાને આવતા જૂનાગઢ પોલીસે પેલા લફરબાજ યુવાનને તેની જ ભાષામાં કાયદાનું ભાન કરાવ્યું હતું તેમજ લિવ ઇન કેબ્સલ કરાવીને યુવતીને સામાન્ય જીવન જીવવા માટે મોકલો માર્ગ કરી આપી ફરીએક વાર જૂનાગઢ પોલીસે પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક કર્યું છે.

જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા અને કેન્દ્ર સરકાર વિભાગમા નોકરી કરતી મહિલા રાધા (નામ બદલાવેલ છે…), પોતાના માતાપિતા તથા નાના ભાઈ સાથે જૂનાગઢ ડિવિઝન ના ડીવાય એસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, પોતે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ મા ક્લાર્ક આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હોય, પોતાને પોતાના સમાજના જ એક યુવક, કે જે એન્જિનિયર હોય અને અમદાવાદ શહેરમાં રહેતો હોય, તેની સાથે પ્રેમ થઇ જતાં, પોતાની રાજીખુશીથી લીવ ઇન રીલેશનશીપમા અમદાવાદ ખાતે રહેતી હતી. પરંતુ એકાદ વર્ષ પછી પોતાને ખ્યાલ આવેલ કે, આ યુવકને પોતાના સિવાય બીજી યુવતીઓ સાથે પણ સંબંધો છે. જેના પુરાવાઓ પણ પોતાને મળેલ હતા. જે બાબતે બંને વચ્ચે માથાકૂટ થતા પોતે હાલ પોતાના માતાપિતા સાથે રહેવા આવતી રહેલ. ત્યારબાદ પોતાના અમદાવાદ ખાતેના ઘરની ચાવી પોતાના પાસે હોઈ, ત્યાં યુવકની ગેર હાજરીમાં જતા, અન્ય યુવતીના કપડાં અને તેની સાથે લગ્ન કરેલાં તેનું પ્રમાણપત્ર મળતા, સાથે લઈને આવ્યા બાદ, યુવતી કેન્દ્ર સરકારના ખાતામાં નોકરી કરતી હોય, ફસાવી દેવાની ધમકી આપી, યુવક યુવતી સાથેનું લીવ ઈન રીલેશનશીપ કેન્સલ કરવા સહમત થતો ના હોય, કેસો કરવાની સતત ધમકી આપતા હોય, પોતાની નોકરી જવાનો ભય લાગતા, ગળગળા થઈને કુટુંબ સાથે રજૂઆત કરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે.ગઢવી, સ્ટાફના હે.કો. નારણભાઇ, ઇન્દુભા, પો.કો. આઝાદસિંહ, સંજયસિંહ, નાગદાનભાઈ, કૈલાશભાઈ, ચેતનસિંહ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે સામાવાળાને અમદાવાદ ખાતેથી બોલાવી, ગુન્હો નોંધવા કાર્યવાહી કરવા પોલીસની ભાષામાં સમજાવતા, સામાવાળા એન્જિનિયર યુવક અને તેના સંબંધીઓ લીવ ઇન રીલેશનશીપ કેન્સલ કરવા માટે તૈયાર થઈ ગયેલ હતો અને ઉભા ઉભા નોટરી લખાણ કરી, રાજીખુશીથી છૂટા પડવા બાબતની લખાણ અને મંજૂરી આપી દીધા હતા. ઉપરાંત, હવે પછી કોઈ દિવસ આ બાબતે તેને નહીં બોલાવવા કે હેરાન નહિ કરવા ખાતરી આપતા કેન્દ્ર સરકારના ખાતામાં નોકરી કરતા અરજદાર કર્મચારી તથા કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, કોઈપણ ખાતાના કર્મચારીને મદદ કરવીએ પોલીસની અગત્યની ફરજ ગણાવી, અરજદારને હવે પછી તકેદારી તથા સાવચેતી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી.