ભેસાણમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

જૂનાગઢ : ભેસાણના સરદાર પુરમાં ગઈકાલે યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભાર્ગવ રમેશભાઇ કપુરીયા (ઉ.વ.૨૨ રહે.ભેસાણ) નામના યુવાને કોઇપણ કારણોસર પોતાની મેળે પોતાના ઘરે ગળાફાસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે

.