તમારૂ બળદગાડુ દુર રાખજો કહી દંપતીને ધમકી આપી

કેશોદના પંચાળા ગામે દંપતીને ધમકી આપનાર શખ્સ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : કેશોદના પંચાળા ગામે તમારૂ બળદગાડુ દુર રાખજો કહી દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે દંપતીને ધમકી આપનાર શખ્સ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રફુલાબેન કેતનભાઇ ખેર (ઉ.વ.૩૫ રહે.પંચાળા તા.કેશોદ) એ આરોપી રામાભાઇ બાલાભાઇ મુછાળ (રહે.પંચાળા તા.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા તેના પતિ બળદગાડુ લઇ જતા હોય અને તેવામાં તેના ગામના રામાભાઇ બાલાભાઇ મુછાળ રહે.પંચાળા તા.કેશોદ વાળો પોતાની ભેંસો લઇને જતો હોય અને આ રામાભાઇએ ફરીયાદીના પતિને કહેલ તે તમારા બળદગાડુ દુર રાખજો તો ફરીયાદીના પતિએ કહેલ કે મારૂ બળદગાડુ દુર છે તો આ રામાભાઇએ ફરીયાદીને તથા તેના પતિને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.