જૂનાગઢમાં ઘાસચારો વેચવા બાબતે આધેડને પાઇપ ફટકાર્યો

જૂનાગઢ : જૂનાગઢમાં આવેલ ઝાલોરપા માઈસાજી પીરની દરગાહ પાસે રહેતા અલીશા મંજુશા બાનવા (ઉ.વ.૫૨)એ આરોપીઓ શબ્બીરશા હુશેનશા, ઈક્બાલશા હુશેનશા (રહે.બન્ને જુનાગઢ) સામે જૂનાગઢ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩ના રોજ ઝાલોરપા માઈસાજી પીરની દરગાહ પાસે આરોપીઓએ ઘાસચારો વેચવા બાબતે માથાકુટ કરી ફરીયાદીને એક સેપ કરી લોખંડના પાઈપ વડે ડાબા પગમા ઈજા કરી ગાળો બોલી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.