માણાવદર તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ માર્ચના યોજાશે

જૂનાગઢ : મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે.તાલુકા કક્ષાનાં પ્રશ્રોના નિકાલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા માટે ઉચ્‍ચ કક્ષા સુધી જવું ન પડે માટે તાલુકા કક્ષાએ સ્‍વાગત ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૨૩/૩/૨૦૨૨ ના સવારે ૧૧ કલાકે મામલતદાર કચેરી,માણાવદર ખાતે યોજાશે.

તા.૨૩/૩/૨૦૨૨ના યોજાનાર કાર્યક્રમ માટે મહેસુલ વિભાગને લગતા પ્રશ્નો મામલતદાર કચેરી માણાવદર ખાતે તા.૧૦/૩/૨૦૨૨ સુધીમાં પહોંચતા કરવાના રહેશે. એમ માણાવદર મામલતદાર દ્રારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.