કોરોનામાં મૃત્યુ પામેલા ભાઈનો વિયોગ સહન ન થતા યુવાને ફાંસો ખાધો

માંગરોળના મેખડી ગામે બનેલી કરુણ ઘટના

જૂનાગઢ : માંગરોળના મેખડી ગામે એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં કોરોનામાં મૃત્યુ પામેલા ભાઈનો વિયોગ સહન ન થતા યુવાને ગળેફાંસો ખાઈને અંનતની વાટ પકડી લેતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી.

શીલ પોલીસ મથકેથી આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કરશનભાઇ માંડાભાઇ માવદીયા (ઉ.વ. ૩૦ રહે.મેખડી તા.માંગરોળ) નામન યુવાને ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનો ભાઇ આઠ મહીના પહેલા કોરોના સબબ મરણ ગયેલ જે બન્ને ભાઇને ખુબજ બનતું હોય જેના ભાઇ રાજુભાઇના મોત બાબતે લાગી આવતા તેણે પોતાની મેળાએ ગળાફાંસો ખાઇને આ અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.