ટેબલ જ્યાથી લીધુ હોય ત્યા મુકવાનુ કહેતા મારામારી

જૂનાગઢના ભરડાવાવ પાસે સિધેશ્વર મંદીર નજીક બલરામપુરીના મકાનમાં થયેલી મારામારીની સામસામી ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ભરડાવાવ પાસે સિધેશ્વર મંદીર નજીક બલરામપુરીના મકાનમાં ટેબલ જ્યાથી લીધુ હોય ત્યા મુકવાનુ કહેતા બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. આ બનાવ અંગે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પુજાબેન દિનેશભાઈ રવજીભાઈ પરમાર (ઉ.વ.૨૪ રહે.ભરડાવાવ પાસે સિધેશ્વર મંદીર પાસે બલરામપુરીના મકાનમાં જુનાગઢ) એ આરોપી રાજુભાઈ લહુરીશા ગુપ્તા (ઉ.વ. ૪૨ રહે.ધારાગઢ દરવાજા સિધ્ધનાથ મંદીર પાસે ભરડાવાવ જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીએ ટેબલ જ્યા લીધેલ ત્યા મુકવાનુ કહેતા બોલાચાલી થતા આરોપીએ ફરીયાદીને તથા ફરીના પતિને ગાળો બોલી અને ઢીકાપાટુનો મુંઢ માર મારી ઇજાઓ કરી હતી.

જ્યારે સામાપક્ષે ફરિયાદી રાજુભાઈ લહુરીશા ગુપ્તા (ઉ.વ.૪૨ રહે.ધારાગઢ દરવાજા સિધ્ધનાથ મંદીર પાસે ભરડાવાવ જુનાગઢ) એ આરોપીઓ પુજાબેન, દિનેશભાઈ (રહે. બંને ભરડાવાવ પાસે સિધેશ્વર મંદીર પાસે બલરામપુરીના મકાનમાં જુનાગઢ) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ આરોપીઓને ટેબલ જ્યા લીધેલ ત્યા મુકવાનુ કહેતા બોલાચાલી થતા આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી અને ઢીકાપાટુનો મુંઢ માર મારી ઇજાઓ કરી હતી.પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.