માંગરોળ – માળીયા ધારાસભ્ય દ્વારા શાંતિપરા ગામે માર્ગના પેવર કામનું મુહૂર્ત

(કિશન વાળા) માળીયા હાટીના : આજે માંગરોળ માળિયા વિસ્તારના ધારાસભ્ય બાબુભાઈ વાજા દ્વારા ધારાસભ્યની ગ્રાંટમાંથી શાંતિપરા પાટીયાથી શાંતિપરા ગામ સુધીના પેવર રોડ કામનું મુહૂર્ત કરાવ્યું હતું. આ પ્રસંગે જેઠાભાઈ કરમટા પ્રમુખ, માલધારી સેલ માળિયા હાટીના કોંગ્રેસ સમિતિ, આહિર અગ્રણી લાખાભાઈ સોલંકી, રાણાભાઈ મુળુભાઈ સોલંકી, રાજુભાઈ ભારાભાઈ રામ, ભીખાભાઇ પોલાભાઈ સોલંકી, રમણીકભાઈ જીણાભાઈ સોલંકી, લખમણભાઈ બાકુ, ભીખુભાઈ સોલંકી, હસમુખભાઈ મિસ્ત્રી, દેવસી રામસી સોલંકી, પંકજ લખમણભાઈ જોટવા સહિતના અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.