ગિરનાર પર્વત ચઢતી વખતે ચક્કર આવતા પડી જવાથી દર્શનાર્થીનું મોત

જૂનાગઢ : કેશોદના બાલાગામમાં રહેતા ઉકાભાઈ ખોડાભાઈ ચુડાસમા (ઉ.વ.50) નામના આધેડ ગઈકાલે ગિરનાર પર્વત ઉપર બિરાજમાન અંબાજી માતાજીના દર્શન કરવા ગયા હતા અને તેઓ ગિરનાર પર્વત પર ગૌમુખી ગંગાથી અંબાજી જતા સીડી પર ચઢી રહ્યા હતા ત્યારે તેમને અચાનક ચક્કર આવતા પડી જતા શ્વાસ અને છાતીમાં દુખાવો થતા તેમને તાત્કાલિક 108માં સારવાર અર્થે જૂનાગઢના સરકારી દવાખાનામાં ખસેડાયા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.