જૂનાગઢના બલીયાવાડ ગામેં પરિણીતાનો ઝેરી દવા પીને આપઘાત

જૂનાગઢ જૂનાગઢના બલીયાવાડ ગામેં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દેવીબેન નાજાભાઇ ટાપરીયા (ઉ.વ ૨૧ રહે. બલીયાવડ) નામની પરિણીતાએ ગઈકાલે તા.૨૮ના રોજ સવારનાં ૧૦ વાગ્યે બલીયાવાડ ગામેં લક્ષ્મી માં ગઢવીની વાડીયે કોઈપણ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.