મહાદેવના નાદ સાથે અંબાજી મંદિરે માતાજીના નાદ ગુંજ્યા

જૂનાગઢ : જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાને લઈને લોકોની ભીડ જામી છે.ત્યારે ગિરનાર તળેટીમાં પણ ભક્તોનું મહેરામણ ઉમટ્યું હતું.આ સાથે જ માઁ અંબાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોચ્યા હતા.

આજ મહાશિવરાત્રી હોવાથી ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળામાં ભક્તો- સાધુ-સંતો હર હર મહાદેવના નાદ ગુજવ્યાં હતાં.તેમજ ગિરનાર પર્વત ઉપર પણ માનવ મહેરામણ ઉમટ્યો હતો.આ સાથે જ માઁ અંબાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોચ્યા હતા.ગિરનાર પર્વત પર એક તરફ ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાને લઈને લોકોની ભીડ જામી છે.તો બીજી તરફ ગિરનાર પર્વત પર અંબાજી મંદિરે પણ ભાવિકોની ભીડ જામી છે.ગિરનાર પર્વત પર રોપવે સુવિધા શરૂ થતાં હવે લોકોને ગિરનાર પર્વત જવું સરળ બન્યુ છે.ત્યારે મોટી સંખ્યામાં લોકો રોપ-વેની સફર કરીને માઁ અંબાજીના દર્શન કરી રહ્યા છે.