વિસાવદરના જેતલવડ ગામે યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

જૂનાગઢ : વિસાવદરના જેતલવડ ગામે યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અતુલભાઇ નાથાભાઇ રીબડીયા (ઉ.વ.૨૬ રહે.જેતલવડ, વિસાવદર) નામનો યુવાન ગઈકાલે કોઇપણ અગમ્ય કારણોસર પોતાની મેળે વાડીએ ગળાફાંસો ખાઇ જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.