જૂનાગઢમાં બીમારીથી કંટાળીને વૃદ્ધનો ઝેર પીને આપઘાત

જૂનાગઢ : જૂનાગઢમાં બીમારીથી કંટાળીને વૃદ્ધે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર લખમણભાઇ પીઠાભાઇ (ઉ.વ.૭૦ રહે ટીલવાળીફામ અતિથી પેલેસ બ્લોક નં ૧૦૧ ઝાઝરડા રોડ જુનાગઢ) નામના વૃદ્ધ છેલ્લા ઘણા સમયથી બિમાર રહેતા હોય અને તેને મગજની પણ તકલીફ હોય અને બીમારીથી કંટાળી જઇ પોતાની મેળે ઝેરી દવા પી જતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

.