જૂનાગઢ : ઘરે ઓસરીના પગથીયા પરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોખરડા ગામેં ઓસરીના પગથીયા પરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત થયું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભીખાભાઇ આલાભાઇ ડાંગર (ઉ.વ.૭૭ રહે.ખોખરડા ખોડીયાર મંદીરની બાજુમાં તા.વંથલી) નામના વૃદ્ધ ગત તા ૨૫ના રોજ પોતાના ઘરે આવેલ ઓસરીમાથી પગથીયા પરથી નીચે ઉતરતી વખતે પડી જતા માથમાના ભાગે ઇજા થતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.