ભારતીબાપુના શિષ્ય અને ભારતી આશ્રમના મંહત હરિહરાનંદ ભારતીને અને રુદ્રેશ્વર જાગીરના ઇન્દ્રભારતીના ઉતરાધીકારી તરીકે મુક્તાનંદ ભારતીને મંડલેશ્વરની પદવી અપાઈ
જૂનાગઢ : અત્યાર સુધી મોટાભાગે કુંભના મેળામાં જ સાધુઓને મહામંડલેશ્વરનો દરરજો આપવામાં આવતો હતો તે દરરજો સૌપ્રથમવાર જૂનાગઢના શિવરાત્રિના મેળામાં જૂના અખાડાના બે સંતોને આપવામાં આવ્યો છે.
સનાતન ધર્મમાં સાધુઓનું ખૂબ મહત્વ છે અને સાધુઓમાં મહામંડલેશ્વરનો દરજ્જો એ વધુ મહત્વનો છે. કોઈપણ અખાડાના સાધુઓને મહામંડલેશ્વરનો દરજ્જો આપવો હોય તો તેની વિધિ આજ સુધી કુંભ મેળાઓમાં થતી હતી. હવે આ વિધિ-વિધાન સાથે જુનાગઢ જૂના અખાડાના ભારતીબાપુના શિષ્ય અને ભારતી આશ્રમના મંહત હરિહરાનંદ ભારતીને અને રુદ્રેશ્વર જાગીરના ઇન્દ્રભારતીના ઉતરાધીકારી તરીકે મુક્તાનંદ ભારતીને મંડલેશ્વરની પદવી આપવામાં આવી છે આ પદવી ૧૦૦૮ આચાર્ય અવધેશાનંદજી તથા સાધુ સંતોના મુખ્ય વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સૌ પ્રથમવાર જૂનાગઢમાં મહામંડલેશ્વરનો સાધુઓને દરજ્જો આપવાની વિધિ જૂનાગઢના ભારતી આશ્રમ અને રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે યોજાઇ હતી. આ તકે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.