“તુ અહીંથી જતી રહે નહી તો તને જીવતી નહી છોડીએ” કહી પરિણીતાને ધમકાવી

હાલ માંગરોળમાં પિયરે રહેતી પરિણીતાએ તેના જામનગર રહેતા પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં હાલ પિયરે રહેતી પરિણીતાએ તેના જામનગર રહેતા પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તુ અહીંથી જતી રહે નહી તો તને જીવતી નહી છોડીએ તેમ કહી પતિ અને સાસરિયાઓએ પરિણીતાને ધમકાવીને ત્રાસ આપ્યો હતો.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હમીદાબેન સીદીકભાઇ માડકીયા (ઉ.વ.૩૭ મુળ રહે. જામનગર સીલવર સોસાયટી હાજી પીરનો ચોક ટીટોડી વાડી તા.જી. જામનગર, હાલ રહે.માંગરોળ બાલાપીર પાસે મેમણવાડા તા.માંગરોળ જી.જુનાગઢ) એ તેના પતિ સીદીક અલુભાઇ માડકીય, દીયર ખાલીકભાઇ, દેરાણી શેરબાનુ ઉર્ફે શાજીયા, નંણદ કુલસુમબેન (રહે. જામનગર સીલવર સોસાયટી હાજી પીરનો ચોક ટીટોડી વાડી તા.જી. જામનગર) ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આજથી આશરે સોળેક વર્ષ પહેલાથી આજ દીન સુઘી જામનગરમાં ફરીયાદીના સસરાના ઘરે બનેલા આ બનાવમાં આરોપીઓએ ફરીયાદીને અવારનવાર શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી અને “તુ અહીંથી જતી રે નહી તો તને જીવતી નહી છોડીએ” તેમ જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.