જૂનાગઢમા કોરોનાની વિદાય નિશ્ચિત : આજે પણ શૂન્ય કેસ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાંથી કોરોનાની વિદાય વચ્ચે આજે પણ એક પણ નવો કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રો મુજબ આજે શહેર કે જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. સામે પક્ષે હવે કોરોના દર્દીઓ પણ શૂન્ય તરફ થવા તરફ હોવાનું જાણવા મળે છે. આજના દિવસે જૂનાગઢ જિલ્લામાં 4432દર્દીઓની આરોગ્ય તપાસણી કરી સ્વાસ્થ્ય વર્ધક દવા આપવામાં આવી હતી અને કુલ 2306 દર્દીઓને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.