વીસાવદરના હાજાણી પીપળીયામાં સગીરાનો ઝેરી દેવા પીને આપઘાત

જૂનાગઢ : વીસાવદરના હાજાણી પીપળીયામાં સગીરાએ ઝેરી દેવા પીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ધારાબેન ગોવીંદભાઇ રામાણી (ઉ.વ.૧૭ રહે.હાજાણી પીપળીયા) નામની સગીરાએ ગઈકાલે પોતાના ઘરે કોઇપણ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા તેણીનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.