માંગરોળમાં સગીરાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

જૂનાગઢ : માંગરોળમાં સગીરાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હસનબાનુ હસનભાઇ ખીલચી (ઉ.વ.૧૭ રહે.માંગરોળ માત્રી વણાંક પાસે કગરાણા મીલ તા.માંગરોળ) નામની સગીરા ગઈકાલે પોતાના ધરે એકલી હોય ત્યારે કોઇ પણ કારણોસર પોતાની મેળે તેણીએ ગળાફાસો ખાઇ લેતા મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.