ઘરકંકાસમાં પતિએ પત્નીને માર મારી ત્રાસ આપ્યો

માંગરોળ ગામે બનેલા બનાવમાં પરિણીતાએ તેના પતિ ઉપરાંત સાસરિયાઓ સામે પણ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : માંગરોળ ગામે ઘરકામ બાબતે પરિણીતાને તેના પતિએ માર મારી અને સાસરિયાએ શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માણાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શાઝેદાબેન સહજાદખાન પઠાણ (ઉ.વ. ૨૬ રહે. હાલ માણાવદર પટેલચોક એક્સીસ બૈંકની પાછળ તા. માણાવદર મુળ રહે.માંગરોળ મિલ્લતનગર પોરબંદર હાઇવે) એ તેના પતિ- સહજાદખાન સલીમખાન પઠાણ, સસરા સલીમખાન દાઉદખાન પઠાણ, સાસુ હલીમાબેનસલીમખાન પઠાણ, દિયર સલમાન સલીમખાન પઠાણ, નણંદ સમીમબેન સલીમખાન પઠાણ (રહે. બધા માંગરોળ મીલ્લતનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીને લગ્ન જીવન દરમ્યાન ધરકામ બાબતે શારીરીક માનસીક દુખત્રાસ આપી જેમ ફાવે તેમ ગાળો આપી આરોપી પતિએ ફરીયાદીને શરીરે ઢીકાપાટુનો મારી માનસીક તથા શારીરીક દુઃખ ત્રાસ આપ્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.