જૂનાગઢના ઓમનગરમાં બે મહિના પહેલા લગ્ન કરનાર નવોઢાનો આપઘાત

જૂનાગઢ : જૂનાગઢના ઓમનગરમાં બે મહિના પહેલા લગ્ન કરનાર નવોઢાનો આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શાંતિબેન રાકેશભાઈ ડામોર (ઉવ ૨૪ રહે. મીરાનગર પાછળ ઓમનગર જુનાગઢ, મૂળ મધ્યપ્રદેશ) નામની પરિણીતાએ ગઈકાલે કોઈ કારણોસર પોતે પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેણીનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મૃતકના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા અને સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. આ બનાવની પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.