મકાન ખાતે કરવાના જુના મનદુખનો ખાર રાખી સગીરને માર માર્યો

જૂનાગઢના ભરડાવાવ દસામાના મંદીર પાસે મારામારીના બનાવમાં ત્રણ સામે ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢના ભરડાવાવ દસામાના મંદીર પાસે મકાન ખાતે કરવાના જુના મનદુખનો ખાર રાખી સગીરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં સગીરે ત્રણ આરોપીઓ સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મયુરભાઈ ધર્મજીભાઈ બાવળીયા (ઉ.વ-૧૭ રહે.ભરડાવાવ ઢોળા ઉપર હનુમાન દાદાના મંદીરની પાસે) એ આરોપીઓ ઉત્તમ બાવળીયા, પ્રિતમ બાવળીયા, બંટી બાવળીયા (રહે બધા.ભરડાવાવ ઢોળા ઉપર હનુમાન દાદાના મંદીરની પાસે જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદી સાથે અગાઉ થયેલ મકાન ખાતે કરવાના મનદુખના કારણે ફરીયાદીને પાઈપ વડે માર મારેલ તથા છરીથી ફરીયાદીને જમણા હાથની આંગળીમાં ઈજા કરી મુંઢમાર મારેલ તથા ફરીયાદીને અને તેની બાને ગાળો તથા પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.