જૂનાગઢમાં આવારા તત્વો અને પ્રેમી પંખીડા સામે પોલીસની લાલ આંખ

જુનાગઢ બી ડિવિઝન પોલીસનો સપાટો બોલાવી પ્રેમી પંખીડાઓને જાહેરમાં ન બેસવા સમજ આપી

જૂનાગઢ : સુરતની ઘટના બાદ જૂનાગઢમાં પોલીસ હરકતમાં આવી છે. ખાસ કરીને આવારા તત્વો અને પ્રેમી પંખીડા સામે લાલ આંખ કરી છે. અને તળાવ દરવાજા ના ગાર્ડનમાં બી ડિવિજન પોલીસે ઓચિંતા ત્રાટકી પ્રેમી પંખીડાઓને જાહેરમાં ન બેસવા સમજ આપી હતી.

સુરતની ઘટના બાદ જૂનાગઢ પોલીસ તંત્ર સજ્જડ બન્યું છે. ખાસ કરીને જૂનાગઢના બાગ બગીચામાં આવારા તત્વો અને પ્રેમી યુગલ જાહેરમાં ક્ષોભજનક હરફત ન કરે તે માટે જૂનાગઢ રેન્જ આઇ.જી.પી મનીંદર પ્રતાપ સિંહ પવારની સૂચનાથી જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી તથા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આજે જૂનાગઢ બી ડિવિઝનના નવનિયુકત પી આઈ આર.એસ.પટેલ અને સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને તળાવ દરવાજાના ગાર્ડનમાં બેઠેલા પ્રેમી પંખીડા સામે પોલીસની લાલ આંખ કરી અવાવરુ જગ્યાએ બેસેલા પ્રેમીપંખીડાના પરિવારને જાણ કરી હતી. સાથેસાથે પ્રેમી પંખીડાઓને જાહેરમાં ન બેસવાની સમજ આપી હતી.