જૂનાગઢમાં આધેડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

જૂનાગઢ : જૂનાગઢમાં આધેડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વલ્લાભભાઇ ભુરાભાઇ સાગઠીયા (ઉ.વ ૫૪ રહે કડીયાવાડ વણકરવાસ જુનાગઢ) નામના આધેડ ગઈકાલે કોઇપણ કારણસર પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઇ લેતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.