પુનઃ લગ્ન કર્યા બાદ પણ પત્ની સાથે મારકૂટ કરતો પતિ

માણાવદરના બાંટવા ગામે બનેલા બનાવમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : માણાવદરના બાંટવા ગામે બીજી વખત પુનઃ લગ્ન કર્યા બાદ પણ પતિએ પોતાની પત્નીને મારકૂટ કરી ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પરિણીતાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મેનાબેન સુરેશભાઇ મોકરીયા (ઉ.વ.૨૮ રહે.બાંટવા બાયપાસ પેટ્રોલપંપ સામે તા.માણાવદર જી.જુનાગઢ, હાલ રહે.સોંદરડા તા.કેશોદ જી.જુનાગઢ) એ તેના પતિ સુરેશભાઇ એભાભાઇ મોકરીયા (રહે.બાંટવા બાયપાસ પેટ્રોલપંપ સામે તા.માણાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૫ના રોજ બાંટવા ગામે બનેલા બનાવમાં આરોપી પતિએ ફરીયાદી સાથેના પુનઃ લગ્ન બાદ પણ અવારનવાર ઝગડાઓ કરી ગાળો કાઢી મારકુટ કરી શારીરીક માનસીક દુખત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.