રાહત ! લાંબા સમય બાદ આજે જૂનાગઢ જિલ્લામા કોરોના ગાયબ

શહેર – જિલ્લામાં નવો એક પણ કેસ નહિ : કોરોનાના 3 દર્દીઓ સાજા નરવા થયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે લાંબા સમય બાદ એક પણ કોરોના પોઝિટિવ કેસ ન નોંધાતા રાહત મળી છે, આજે જિલ્લામાં ત્રણ દર્દીઓ સાજા થયા છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રો મુજબ આજે શહેર જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ત્રણ દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં 47 આરોગ્ય રથ મારફતે 4562 નાગરિકોને તપાસી આરોગ્યવર્ધક દવા આપવામાં આવી હતી. તેમજ શહેર અને ગ્રામ્યના મળી કુલ 3333 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.