ગૌવંશ સાથે અભદ્ર ચેષ્ટાઓ કરી ધાર્મિક લાગણી દુભાવનાર સામે ગુન્હો દાખલ

જૂનાગઢના જી.આઇ.ડી.સી-૦૨ વિસ્તારમાં બનેલી ઘટનામાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના જી.આઇ.ડી.સી-૦૨ વિસ્તારમાં એક શખ્સે ગોવંશ સાથે વિકૃત હરકત કરી હતી. આથી ગૌવંશ સાથે આવી અભદ્ર ચેષ્ટાઓ કરી ધાર્મિક લાગણી દુભાવનાર શખ્સ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તેની સામે પશુ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભાવિનભાઇ રમેશભાઇ મેઘાણી (ઉ.વ.૩૫ રહે.નાલંદા-બી ૪૦૧ પટેલ નગર ઝાંઝરડા રોડ જુનાગઢ) એ આરોપી દિલદાર અલી અબ્દુલ અજીજ અંસારી (ઉ.વ.૩૦ રહે.મુળ સુકઇયા ગામ તા.ભીનગા જી.શ્રાવસ્તી ઉતર પ્રદેશ, હાલ રહે.જુનાગઢ જી.આઇ.ડી.સી જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૭ના રોજ જી.આઇ.ડી.સી-૦૨ વિસ્તારમાં આરોપીએ હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા ગૌવંશ સાથે અભદ્ર ચેષ્ટાઓ અને કૃત્ય કરી હિન્દુ ધર્મમાં દ્વેષ અને ધિકકારની લાગણી જન્મે તથા ભારતમાં રહેતી હિન્દુ તથા મુસ્લીમ બે કોમો વચ્ચે પણ દુશ્મનાવટ ઉભી થાય તેવુ કૃત્ય કર્યું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.