જૂનાગઢ આઇ.ટી.આઇ. ખાતે ભરતી મેળો યોજાશે

ભરતી મેળામાં સ્નાતક ઉમેદવારો ભાગ લઇ શકશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ખાનગી નોકરીદાતાઓ પાસેથી જુદી-જુદી ખાલી જગ્યાઓ મેળવી તા.૧૯/૦૨/૨૦૨૨ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે આઇ.ટી.આઇ. પંચેશ્વર રોડ, વિવેકાનંદ વિનય મંદિર પાસે, જૂનાગઢ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ અસલ સર્ટીફિકેટ, માર્કશીટ તથા પ્રમાણિત નકલો અને ચાર પાસપોર્ટ સાઇઝના ફોટો તથા બાયોડેટા(આધાર/પાન કાર્ડ) જો હોય તો ઉપર જણાવેલ સ્થળે સમયે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવેલ છે. ભરતી મેળામાં સ્નાતક પાસ લાયકાત ધરાવતા તેમજ વય ૨૦ થી ૪૫ વર્ષ સુધીના ઉમેદવારો ભાગ લઇ શકશે. નોકરીદાતા દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા ન હોવાથી દિવ્યાંગ ઉમેદવારોએ ભરતી મેળામાં હાજર રહેવું નહીં.