ભવનાથમાં ઝેરી દવાના ટિકડા ખાઈને આધેડે જિંદગીનો અંત આણ્યો

જૂનાગઢ : જૂનાગઢના ભવનાથમાં ઝેરી દવાના ટિકડા ખાઈને આધેડે જિંદગીનો અંત આણ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર યોગેશભાઇ જેન્તીભાઇ વિઠલાણી (ઉ.વ.૫૦ રહે. જલારામ સોસાયટી જુનાગઢ) નામના આધેડે ગઈકાલે વાધેશ્વરી મદીર પાસે ભવનાથ ખાતે કોઇપણ અગમ્ય કારણોસર પોતાની મેળે ઝેરી ટીકડા ખાઇ લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.