જુનાગઢમાં જીવજંતુ મારવાની ઝેરી દવાની અસર થતા આધેડનું મોત

જૂનાગઢ : જુનાગઢમાં જીવજંતુ મારવાની ઝેરી દવાની અસર થતા આધેડનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જગદીશકુમાર ધર્મવીર ભાટીયા (ઉ.વ.૫૮ રહે એ-૭૯ સેક્ટર-૯ વિજયનગર ગાજીયાબાદ જી.કે.જી પબ્લીઝ સ્કુલ પાછળ ઉતરપ્રદેશ) નામના આધેડને ગઈકાલે વૈભવ હોટલ ગાંધીચોક જુનાગઢ પાસે જીવજંતુ મારવાની ઝેરી દવાના અસરના કારણે તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે