ખુલ્લી અગાસીમા પીંજરાના તાળા ખોલી ૨૩ કબુતરોની ચોરી

જૂનાગઢના રેલ્વેસ્ટેશન રોડ જનતા લોજની બાજુના મકાનમાં એક શખ્સે કબૂતર ચોર્યાની ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢના રેલ્વેસ્ટેશન રોડ જનતા લોજની બાજુના મકાનમાં એક શખ્સે કબૂતર ચોર્યાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં આ શખ્સ ખુલ્લી અગાસીમા પીંજરાના તાળા ખોલી ૨૩ કબુતરોની ચોરી કરી ગયો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સાબાઝખાન સલીમખાન પઠાણ (ઉ.વ.૨૧ રહે. રેલ્વેસ્ટેશન રોડ જનતા લોજની બાજુમા જુનાગઢ) એ આરોપી રાજુભાઇ દીલીપભાઇ ધારુકીયા (રહે. જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ પાસે ડાગ બંગલા રેલ્વેસ્ટેશન રોડ જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ના રોજ રેલ્વેસ્ટેશન રોડ જનતા લોજની બાજુમા આવેલ ફરિયાદીના મકાનની ખુલ્લી અગાસીમાથી આરોપીએ પીંજરાના તાળા ખોલી કબુતરો નંગ-૨૩ કિ.રુ ૩૫૦૦૦ આશરેની ચોરી કરી ગયો હતો. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.