જુનાગઢમાં લકઝરી બસનો ચાલક રાહદારીને ઉડાડીને ફરાર

જૂનાગઢ : જૂનાગઢના રૂપાવટીમાં રહેતા સુરેશભાઇ લક્ષ્મણભાઇ પરમાર (ઉ.વ.૪૫)એ એક લકઝરી બસનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૫ના રોજ ફરિયાદીના પિતા લક્ષ્મણભાઇ પરમાર ચાલીને આવતા હતા અને પોતાની ઘરે જતા હતા તે દરમ્યાન રસ્તામાં આંબલીયા તરફ આવતી એક લકઝરી બસના ચાલકે બસને પુરઝડપે ચાલવી ફરિયાદીના પિતાને અડફેટમાં લઇ માંથાના ભાગે ડાબા હાથે પગના ભાગે તેમજ જમણા હાથે હથેડીના ભાગે તથા બન્ને પગે ઢિચણના ભાગે ઇજાઓ કરી નાશી છૂટ્યો હતો.