કેશોદમાં કારની હડફેટે બાઈકચાલકનું મોત

જૂનાગઢ : કેશોદમાં કારની હડફેટે બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વિનોદભાઈ ભગવાનજીભાઈ મારડીયા (ઉ.વ.૪૨ રહે.અગતરાઈ તા.કેશોદ)એ અજાણ્યો ફોરવ્હીલનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૫ના રોજ એન.પી.કોલેજ પાસે કેશોદ રોડ ઉપર ફરીયાદીના કાકાના દિકરા અરવિંદભાઈ મોહનભાઈ મારડીયાના બાઈક નં. GJ18L 2844 ને અજાણ્યા ફોરવ્હીલના ચાલકે ઠોકર મારી અકસ્માત કરી શરીરે ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી પોતાની ફોરવ્હીલ લઇ નાશી છૂટ્યો હતો.