જુના મનદુઃખ મામલે રિક્ષાચાલક ઉપર છરી અને લાકડીથી હુમલો

જુનાગઢના ધાચીપટ વિસ્તારમાં થયેલી મારામારીમાં બે સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જુનાગઢના ધાચીપટ વિસ્તારમાં જુના મનદુઃખ મામલે રિક્ષાચાલક ઉપર બે શખ્સોએ છરી અને લાકડીથી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે રિક્ષાચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મોહસીન ઇકબાલભાઇ જેઠવા (ઉ.વ ૩૦ રહે.સરદારબાગ ધાચીપટ સાહેલપાનની દુકાનની બાજુમા જુનાગાઢ) એ આરોપીઓ જમીલ રફાઈ, ફેજલ રફાઈ (રહે. બન્ને મેમણ કોલોની ધાચીપટ જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૩ના રોજ ફરીયાદી પોતાની રીક્ષા લઈ સરદારબાગથી ધાંચીપટ જતા હતા. તે વખતે ફરીના ધર પાસે આરોપીઓએ રીક્ષા રોકાવી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલી માર મારી તેમજ લાકડીથી તથા છરીથી છરકો મારેલ લોહિ નિકળેલ આ બનાવ અગાઉ ના મનદુખના કારણે બનાવ બનેલ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.