પરિણીતાને પતિ અને સાસરિયાએ કરીયાવર મામલે ત્રાસ આપ્યો

હાલ માણાવદરમાં રહેતી રાજકોટની પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : હાલ માણાવદરમાં રહેતી રાજકોટની પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાને પતિ અને સાસરિયાએ કરીયાવર મામલે ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માણાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જ્યોતીબેન હીતેષભાઇ વાળા (ઉ.વ. ૨૪ રહે.માણાવદર વાલ્મીકીવાસ, મુળ રહે.રાજકોટ રૈયા ચોકડી આવાસ યોજના ક્વાર્ટર બ્લોક નં.૧૩ તા.જી.રાજકોટ) એ તેના પતિ હીતેષ ભરતભાઇ વાળા, સાસુ ભાનુબેન ભરતભાઇ વાળા, સસરા ભરતભાઇ ધનજીભાઇ વાળા (રહે.ત્રણેય મુળ નાવડા ગામ તા.વંથલી હાલ રહે.રહે.રાજકોટ રૈયા ચોકડી આવાસ યોજના ક્વાર્ટર બ્લોક નં.૧૩ તા.જી.રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરીયાદીના લગ્ન બાદ ફરીયાદીને કરીયાવર બાબતે તથા ઘરકામ બાબતે મેણાટોણા આરોપી પતિએ ફરીયાદીને માર મારી તથા જેમ ફાવે તેમ ગાળો આપી શારીરીક માનસીક દુખત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.