જૂનાગઢ : સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજીનો જીવનદીપ બુઝાયો

 

છેલ્લા થોડા સમયથી બીમાર રહેતા માતાજીએ આજે સાંજે અંતિમ શ્વાસ લેતા ભવિકોમાં ઘેરો શોક

જૂનાગઢ : જૂનાગઢના સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજીનો આજે જીવનદીપ બુઝાયો છે. છેલ્લા થોડા સમયથી બીમાર રહેતા માતાજીએ આજે સાંજે અંતિમ શ્વાસ લેતા ભવિકોમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.

જૂનાગઢના સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજીએ આજે દેહ ત્યાગ કરી દીધો હતો. જેમાં બનુઆઈ માતાજીએ સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા થોડા સમયથી માતાજી બિમાર હતા. આ બનુઆઈ માતાજી સોનલ માતાજીના બેન હતા. આથી ભાવિકોને તેમના માટે અતૂટ શ્રદ્ધા હતી. ત્યારે બનુઆઈની વિદાયથી ભક્તોમાં શોક વ્યાપી ગયો છે.