જૂનાગઢમાં કોરોના બિસ્તરા પોટલા બાંધ્યા, માત્ર એક જ કેસ

શહેર – જિલ્લામાં કોરોનાના 9 દર્દીઓ સાજા નરવા થયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણનો ગ્રાફ સતત ઘટાડા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આજે તો કોરોનાએ બિસ્તરા પોટલા બાંધીને વિદાયની તૈયારી કરી લીધી હોય એમ શહેરમાં એક જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. બીજી તરફ આજે 9 દર્દીઓ સાજા નરવા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ એક જ નવો પોઝિટિવ કેસ ટેસ્ટિંગ દરમિયાન સામે આવ્યો છે. જેમાં જૂનાગઢ શહેરમાં આજે એક માત્ર પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે જૂનાગઢ ગ્રામ્યમાં 0, કેશોદમાં 0, માળીયામાં 0, ભેસાણ 0, માણાવદરમાં 0, મેંદરડા 0, માંગરોળમાં 0, વંથલીમાં 0 અને વિસાવદરમાં 0 કેસ નોંધાતા મોટી રાહત થઈ હતી.

બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં રિકવરી રેટ જળવાયેલ રહેતા 9 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં 47 આરોગ્ય રથ મારફતે 4552 નાગરિકોને તપાસી આરોગ્યવર્ધક દવા આપવામાં આવી હતી. તેમજ શહેર અને ગ્રામ્યના મળી કુલ 3405 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.