કેશોદના રંગપુર ગામે જુના મનદુઃખ મામલે આધેડને માર માર્યો

આધેડની પુત્રીએ ત્રણ શખ્સો સામે માર મર્યાની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : કેશોદના રંગપુર ગામે જુના મનદુઃખ મામલે આધેડને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં આધેડની પુત્રીએ ત્રણ શખ્સો સામે માર મર્યાની ફરિયાદ નોંધાવી છે.

કેશોદ પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રિયાબેન અજયભાઇ પારેડી (ઉ.વ ૧૯ રહે. રંગપુર તા.કેશોદ જી.જુનાગઢ) એ આરોપીઓ, મહીપત સમજુભાઇ દયાતર, શ્રધ્ધાબેન દયાતર , પ્રવિણ ઉર્ફે પલ્લો દયાતર સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ગાળો કાઢી તથા ફરીયાદીના પિતાને ઢીકાપાટુનો માર મારી તેમજ ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.