માંગરોળના શેરીયાજ ગામે 95 વર્ષના વૃદ્ધનો બીમારી કંટાળી આપઘાત

જૂનાગઢ : માંગરોળના શેરીયાજ ગામે 95 વર્ષના વૃદ્ધે બીમારી કંટાળી આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળના શેરીયાજ ગામે રહેતા રાજાભાઇ કેશવભાઇ આત્રોલીયા (ઉ.વ ૯૫) નામના વૃદ્ધને લાબા સમયથી શ્ર્વાસની બિમારી હોય અને બીજી પણ અન્ય બીમારી હોય જેના કારણે પોતે કંટાળી ગયેલ પોતાની મેળે ઘરે એસીડ પી લેતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.