યુવકના પરિવારે સગાઈ કરવાની ના પાડતા સગીરાએ મોતની સોડ તાણી લીધી

વીસાવદરના જેતલવડ ગામેં સગીરાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો

જૂનાગઢ : વીસાવદરના જેતલવડ ગામેં સગીરાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની પોલીસની તપાસમાં યુવકના પરિવારે સગાઈ કરવાની ના પાડતા સગીરાએ મોતની સોડ તાણી લીધી હોવાનું ખુલ્યું છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વીસાવદરના જેતલવડ ગામેં રહેતી મીતલબેન રાજુભાઇ વાળા (ઉ.વ.૧૫) નામની સગીરાએ ઝેરી દવા પીને મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસની તપાસમા મૃતક સગીરાના લગ્ન તથા સગાઇની વાત ગામમા રહેતા પ્રતીક સાથે ચાલતી હોય પરંતુ એ લોકોએ સગાઇ તથા લગ્નની ના પાડતા લાગી આવતા પોતાની મેળે ઝેરી દવા પીને આપઘાત કરી લીધાનું બહાર આવ્યું છે.