જૂનાગઢમાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત

જૂનાગઢ : જૂનાગઢમાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગીતાબેન જયેશભાઇ ચોરવાડા (ઉ.વ ૪૫ રહે.જુનાગઢ) નામની મહિલા ગઈકાલે કોઈ કારણોસર વિવેકાનંદ સ્કુલ પાસે જુનાગઢમાં આખા શરીરે દાઝી જતા તેમનું જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જુનાગઢ એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.