પવનની ગતિ ધીમી ન થાય ત્યાં સુધી રોપ વે રહેશે બંધ
જૂનાગઢ : જૂનાગઢમાં આજે સવારથી તેજ પવન ફૂંકાતા લોકોની સલામતીને ધ્યાને લઈને ગીરનાર રોપવે બંધ કરી દેવામાં આવ્યો છે.
જૂનાગઢમાં આજે સવારથી ભારે પવન ફૂંકાતા ગીરનાર રોપવે બંધ કરી દેવામાં આવ્યો છે. ભારે પવન ફૂંકાયો હોવાથી લોકોની સલામતી માટે રોપ વે બંધ કરાયો છે. જો કે, ગિરનાર તેમજ ભવનાથમાં ભારે પવન ફૂંકાયો હોવાથી ફરી વાતાવરણ ઠંડુ બન્યું છે. આ સંજોગોમાં પવનની ગતિ ધીમી ન થાય ત્યાં સુધી રોપ વે બંધ રાખવા નિર્ણય લેવાયો છે.