ગ્રામસેવકની ભરતીના નિયમોમાં છેડછાડ કરતા સરકારના પરિપત્ર સામે વિરોધ પ્રદર્શન

ગ્રામસેવકની ભરતીના નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર બી એસ સી હોર્ટિકલચર, BE (એગ્રીકલ્ચર)નો સમાવેશ કરી દેવાતા જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અન્યાય, NSUI ના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ કલેકટરને આવેદનપત્ર આપી સરકારના પરિપત્ર રદ કરવાની માંગ ઉઠાવી, પરિપત્ર રદ ન થાય તો આવનારી વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કારનું અભિયાન ચલાવાની ચીમકી

જૂનાગઢ : રાજ્યના પંચાયત વિભાગ દ્વારા તાજેતરમાં નોટિફિકેશન જાહેર થયું છે જેમાં ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર બી એસ સી હોર્ટિકલચર, BE (એગ્રીકલ્ચર)નો સમાવેશ કરી દેવામાં આવ્યો છે જેનાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાં અને BRS ના વિદ્યાર્થીઓ સાથે સીધો અન્યાય થવા જઈ રહ્યો છે. જૂનાગઢના NSUI ના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ કલેકટરને આવેદનપત્ર આપી સરકારના પરિપત્ર રદ કરવાની માંગ ઉઠાવી છે.

આવેદનમાં જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને hrs ના વિદ્યાર્થીઓ માટે સરકારી ક્ષેત્રમાં માત્ર ‘ગ્રામસેવક’ પુરતી જ રોજગારીની તક રહેલી છે તેમજ વર્ગ-૩ની તેમના અભ્યાસક્રમને અનુરૂપ ફિલ્ડને લગતી પોસ્ટ છે,જ્યારે બી.એસ.સી એગ્રીકલ્ચર,બી.એસ.સી હોર્ટિકલચર, BE (એગ્રીકલ્ચર) વગેરેને એગ્રીકલ્ચર ઓફીસર,વિસ્તરણ અધિકારી ખેતી બાગાયત વિભાગમાં જેવી અનેક ભરતીઓમાં માન્ય ગણવામાં આવે છે અને રોજગારી માટેના પૂરતી તકો રહેલી છે (તે તમામ પોસ્ટ માટે કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાના અભ્યાસક્રમો અને bs ને લાયક ગણવામાં નથી આવી રહ્યા)

વળી ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર,બી.એસ.સી હોર્ટિકલચર,BE (એગ્રીકલ્ચર)નું શૈક્ષણિક સ્તર ઊંચું હોવાથી આડકતરી રીતે ઉચ્ચ ડિગ્રીઓ સાથે ડિપ્લોમા અને brsની સ્પર્ધા કરાવવી એ ગ્રામસેવક ભરતી નિયમોમાં ડિપ્લોમા અને brકનો સમાવેશ ન બરાબર છે. કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને bs ના વિદ્યાર્થીઓ માટેની ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર બી એસ.સી હોર્ટિકલચર,BE (એગ્રીકલ્ચર)નો સમાવેશ કરવાથી BRS અને કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા સાથે સીધો જ અન્યાય છે.વળી તારીખ ૨૫.૧૧.૨૦૧૯ ના રોજ પંચાયત વિભાગ દ્વારા ગ્રામસેવકની ભરતી માટેના નવા નિયમો બનાવવામાં આવેલા તેમાં પણ બી.એસ.સી એગ્રીકલ્ચર બી.એસ.સી હોર્ટિકલચર,BE (એગ્રીકલ્ચર)નો સમાવેશ કરેલ નથી અને ત્યારબાદ એકપણવાર ભરતી થઈ નથી ત્યાં અચાનક આ પ્રમાણે નિયમોમાં ફેરફાર કરવાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થીઓ સાથે સીધો જ અન્યાય છે.

સબંધિત વિભાગો દ્વારા કોઈપણ નિર્ણયથી વિદ્યાર્થીઓ સાથે અહીત ન થાય તે માટે અગાઉ અનેક આવેદનપત્રો દ્વારા તેમજ પંચાયત મંત્રી, મુખ્યમંત્રી,કૃષિ મંત્રી અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને પત્ર દ્વારા રજુઆત કરી હતી,તેમ છતાં કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRS ના વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી ન હોઈ તેવું ધ્યાને આવે છે.આમ છતાં ડિપ્લોમા અને brs ના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીઓના સંગઠનો દ્વારા દરેક જિલ્લાઓમાં આવેદનપત્રો આપ્યા છે.

સચિવાલય ખાતે રજૂઆતો કરવામાં આવી આમ છતાં કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં ન આવ્યો. માટે આજે ફરી રાજ્યના દરેક જિલ્લાઓમાં આવેદનપત્ર દ્વારા સરકારને જાણ કરીએ છે કે આ આવેદનપત્રો બાદ તાત્કાલિક ધોરણે તા ૧૧નો પરિપત્ર રદ નહીં કરવામાં આવે તો કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRS ના વિદ્યાર્થીઓ સાથે મળી આવનારી વિધાનસભા ચૂંટણીમાં પોતે,પોતાનો પરિવાર,કુટુંબ,મિત્રો અને દરેક મત વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનું અભિયાન ચલાવશે,જેની ગંભીરતાથી નોંધ લેવી તેવી ચીમકી આપી