જૂનાગઢની મેગનેટ હોટલના રૂમમાં રાજકોટનો યુવાન પંખે લટકી ગયો

હોટલના મેનેજરે બનાવની જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી

જૂનાગઢ : જૂનાગઢની મેગનેટ હોટલના રૂમમાં રાજકોટનો યુવાને ગઈકાલે કોઈ કારણોસર પંખે લટકી ગયો ગયો હતો અને આ યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાની હોટલના મેનેજરે જાણ કરતા પોલીસે આ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકે આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના નાના નવા રોડ પર આવેલ ન્યુ ગાંધી.કો.સ્ટેટ શેરી નં- ૩માં રહેતો રમેશભાઇ એન.પાનસુરીયા (ઉ.વ.૨૯) નામનો યુવાન કોઈ કામસર જૂનાગઢ આવ્યો હતો અને આ યુવાન જુનાગઢની મેગનેટ હોટલ રૂમ નં. ૪૦૧માં રોકાયો હતો. પરંતુ ગઈકાલે આ યુવાન રમેશભાઇ એન.પાનસુરીયાએ જુનાગઢની મેગનેટ હોટલ રૂમ નં. ૪૦૧માં કોઈ કારણોસર પંખા સાથે દોરી બાંધી ગળાફાસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં હોટલના મેનેજર સાજીદભાલઇ ઇસ્માઇલભાઇ સિડાએ જૂનાગઢની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.