જૂનાગઢ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ૨૬મીએ યોજાશે

જેના આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા.૨૬ ફેબ્રુઆરીના યોજાશે. જેના આયોજન અંગે આજે કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા સમાહર્તા રચિત રાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

રાજ્ય સરકાર દ્વારા તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે તા.૨૬ ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો કૃષિ યુનિવર્સિટી ઓડિટોરીયમ હોલ ખાતે યોજાશે. જૂનાગઢ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી, મહાનુભાવો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાનાર મેળાના આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેક્ટર સંબંધિત તમામ વિભાગના અધિકારીઓને જિલ્લા, તાલુકા કક્ષાની કચેરીઓ દ્વારા કાર્યરત વ્યક્તિલક્ષી યોજનાના લાભાર્થીઓની ડેટા એન્ટ્રી