જૂનાગઢમાં આજે 11 કોરોના પોઝિટિવ કેસ

શહેર – જિલ્લામાં કોરોનાના 13 દર્દીઓ સાજા નરવા થયા

જૂનાગઢ : જૂનાગઢ બે દિવસથી કોરોના પોઝિટિવ આંકડો સિંગલ ડીઝીટમાં રહ્યા બાદ જિલ્લામાં આજે 11 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. બીજી તરફ આજે 13 દર્દીઓ સાજા નરવા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ 11 નવા પોઝિટિવ કેસ ટેસ્ટિંગ દરમિયાન સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં આજે પણ પોઝિટિવ કેસ સિંગલ ડીઝીટમાં રહ્યો છે. આજે શહેરમાં 7 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે જૂનાગઢ ગ્રામ્યમાં 0, કેશોદમાં 3, માળીયામાં 0, ભેસાણ 0, માણાવદરમાં 0, મેંદરડા 0, માંગરોળમાં 1, વંથલીમાં 0 અને વિસાવદરમાં 0 કેસ સામે આવ્યા હતા.

બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં રિકવરી રેટ જળવાયેલ રહેતા 13 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે.

આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં 47 આરોગ્ય રથ મારફતે 4567 નાગરિકોને તપાસી આરોગ્યવર્ધક દવા આપવામાં આવી હતી. તેમજ શહેર અને ગ્રામ્યના મળી કુલ 6201 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.